સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના 18 લાખથી વધુ લાભાર્થીઓને 393 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ.
આ પ્રસંગે સુશ્રી બાબરિયાએ કહ્યું, રાજ્યના તમામ નાગરિકોને યોજનાકીય લાભ આપવો એ સરકારનો સંકલ્પ છે. આજના ઇ-વિતરણ કાર્યક્રમ થકી પછાત વર્ગના વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા નાગરિકોને લાભ અપાશે.
Site Admin | ઓગસ્ટ 7, 2025 7:51 પી એમ(PM)
રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના 18 લાખથી વધુ લાભાર્થીઓને 393 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ