મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પોરબંદર ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મહેસાણા ખાતે ધ્વજવંદન કરશે. રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને જિલ્લા કલેકટર વિવિધ જિલ્લા મથકોએ ઉજવણીમાં ભાગ લેશે.
રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ નવસારી ખાતે, જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાબરકાંઠામાં ધ્વજવંદન કરશે, કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગર ખાતે જ્યારે રાજકોટમાં યોજાનાર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહેશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર ખાતે ધ્વજવંદન કરશે. આ ઉપરાંત બળવંતસિંહ રાજપૂત વલસાડમાં, કુંવરજી બાવળીયા ગીરસોમનાથ ખાતે જ્યારે મુળુભાઇ બેરા દ્વારકામાં અને ડો.કુબેર ડિંડોર પંચમહાલ ખાતેના સમારોહમાં હાજર રહેશે. આ સિવાયના જિલ્લામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ધ્વજવંદન સમારોહ યોજાશે.
Site Admin | ઓગસ્ટ 12, 2025 7:10 પી એમ(PM)
રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પોરબંદર ખાતે કરાશે