ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 8, 2025 9:29 એ એમ (AM)

printer

રાજય સરકાર આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટે કટિબદ્ધ -મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સરકાર આદિવાસી લોકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ અંગેની વિગતો આપતા કહ્યું કે, આદિ કર્મયોગી અભિયાન અન્વયે રાજ્યના 1 લાખ 40 હજારથી વધુ લોકોએ આદિવાસી ગામ વિઝન 2030 વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે યોજાઇ રહેલી જનજાતિય ગૌરવ યાત્રાનો ગઇકાલથી અંબાજીથી પ્રારંભ કરાવતાં કહ્યું કે, આ યાત્રા વિકાસની નવી કેડી કંડારશે.