ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 31, 2024 8:59 એ એમ (AM)

printer

રાજભવનમાં રંગોળીના રંગોમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશ પથરાયો

રાજભવનમાં રંગોળીના રંગોમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશ પથરાયો હતો…દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં રાજભવન રંગોળી અને રોશનીથી ઝળહળી ઉઠ્યું છે… રાજભવનની રંગોળી શોભાની સાથો સાથ સંદેશો પણ આપે છે. લોકોના સ્વાસ્થ્ય, ખેડૂતોની સમૃદ્ધિ તથા હવા-પાણી અને જમીનની જાળવણી માટે કાર્યરત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સતત પ્રયત્નશીલ છે. રાજભવનમાં વિશાળ રંગોળીના રંગોમાં ‘સ્વસ્થ ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ’નો સંદેશ પથરાયો છે… રાજ્યપાલે નવા વર્ષમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોનો જ ઉપયોગ કરવાનો સંકલ્પ લેવા સૌને અનુરોધ કર્યો છે.
દીપોત્સવની સંધ્યાએ રાજ્યપાલ અને લેડી ગવર્નર દર્શનાદેવીએ આ રંગોળી પાસે દીવડા પ્રગટાવ્યા હતા..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ