ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 6, 2024 3:27 પી એમ(PM) | રેલવે

printer

રાજકોટ વિભાગમાંથી પસાર થતી ચાર ટ્રેન રદ કરવાનો રેલવે તંત્રએ નિર્ણય કર્યો

રાજકોટ વિભાગમાંથી પસાર થતી ચાર ટ્રેન રદ કરવાનો રેલવે તંત્રએ નિર્ણય કર્યો છે. રાજકોટના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, નાગપુર વિભાગમાં સમારકામની કામગીરીના કારણે 10 અને 17 ઑગસ્ટે ઓખાથી ઉપડનારી ઓખા—બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ, 12 અને 19 ઑગસ્ટે બિલાસપુરથી ઉપડનારી બિલાસપુર—ઓખા એક્સપ્રેસ, 18 ઑગસ્ટે ઓખાથી ઉપડનારી ઓખા—શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ અને 20 ઑગસ્ટે શાલિમારથી ઉપડનારી શાલિમાર—ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
ઉપરાંત 10 અને 11 ઑગસ્ટે હાવડાથી ઉપડનારી હાવડા-અમદાવાદ એક્સપ્રેસ, 13 અને 14 ઑગસ્ટે અમદાવાદથી ઉપડનારી અમદાવાદ-હાવડા, એક્સપ્રેસ 16 ઑગસ્ટે ગાંધીધામથી ઉપડનારી ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ, 19 ઑગસ્ટે પુરીથી ઉપડનારી પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ, 14 ઑગસ્ટે ગાંધીધામથી ઉપડનારી ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ, અને 17 ઑગસ્ટે પુરીથી ઉપડનારી પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.