ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 24, 2025 10:25 એ એમ (AM)

printer

રાજકોટ મહાનગરપાલિકાએ સરકારી આવાસ યોજનાના જર્જરિત ફ્લેટનું નવીનીકરણ કરીને બે લાખ રૂપિયામાં લોકોને આપવાનો નિર્ણય કર્યો

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિએ સરકારી આવાસ યોજનાના જર્જરિત ફ્લેટનું નવીનીકરણ કરીને બે લાખ રૂપિયામાં લોકોને આપવાનો નિર્ણય કર્યો છે.આશરે છેલ્લા 15 વર્ષથી ખાલી રહીને જર્જરિત બની ગયેલા સરકારી આવાસ યોજનાના 1 હજાર 56 ફ્લેટનું નવીનીકરણ 16 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવશે.
આ ફ્લેટનું નવીનીકરણનું કામ આશરે 10 મહિના સુધી ચાલશે અને ત્યારબાદ તેને રૂપિયા ત્રણ લાખથી ઓછી આવક ધરાવતા લોકોને બે લાખ રૂપિયામાં આપવામાં આવશે.