અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપુર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અંતિમસંસ્કાર ટૂંક સમયમાં રાજકોટમાં કરવામાં આવશે. આજે અમદાવાદથી સ્વર્ગસ્થ રૂપાણીનાં પાર્થિવ શરીરને રાજકોટ તેમના નિવાસસ્થાને લવાયા બાદ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
શહેરના નાગરિકો સ્વર્ગસ્થ રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.
Site Admin | જૂન 16, 2025 7:45 પી એમ(PM)
રાજકોટમાં ગુજરાતના ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમયાત્રા નીકળીઃ હજારો લોકો જોડાયા