ડિસેમ્બર 4, 2025 7:51 પી એમ(PM)

printer

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે નવી દિલ્હી પહોંચ્યા.

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે નવી દિલ્હી પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું હવાઈમથક પર સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપ્રમુખ પુતિન આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સાથે વાતચીત કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. વેપાર, અર્થતંત્ર, આરોગ્યસંભાળ, શિક્ષણશાસ્ત્ર, સંસ્કૃતિ અને મીડિયા સંબંધિત ક્ષેત્રો સહિત અનેક કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.