ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 8, 2025 8:36 એ એમ (AM)

printer

યુરોપિયન સંઘ-EUના વાટાઘાટકારોની એક ટીમ મુક્ત વેપાર કરાર (FTA) પર તેમના ભારતીય સમકક્ષો સાથે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હી આવી

યુરોપિયન સંઘ-EUના વાટાઘાટકારોની એક ટીમ પ્રસ્તાવિત ભારત-EU મુક્ત વેપાર કરાર (FTA) પર તેમના ભારતીય સમકક્ષો સાથે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હી આવી છે.આ મહિનાની ત્રીજી તારીખે શરૂ થયેલી અઠવાડિક લાંબી વાટાઘાટો ગઈકાલે પૂર્ણ થઈ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ચર્ચાઓ એક વ્યાપક, સંતુલિત અને પરસ્પર લાભદાયી વેપાર કરાર પર કેન્દ્રિત હતી. ચર્ચાઓમાં માલ, સેવાઓ, રોકાણ, વેપાર, ટકાઉ વિકાસ અને તકનીકી વેપાર અવરોધો સહિત વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા.વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે યુરોપિયન આયોગના વેપાર મહાનિર્દેશક શ્રીમતી સબીન વેયંડ સાથે પણ વિગતવાર બેઠકો કરી હતી. શ્રી અગ્રવાલે વાટાઘાટોના વિવિધ તબક્કામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. વાણિજ્ય સચિવે લાભોના ન્યાયી અને સંતુલિત વિતરણને સુનિશ્ચિત કરતી વખતે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. બંને પક્ષોએ વ્યાપક અને સંતુલિત વેપાર કરાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.