ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 12, 2024 3:59 પી એમ(PM) | અંબાજી

printer

યાત્રાધામ અંબાજી ખાતે આજે વિધિવત્ રીતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે

યાત્રાધામ અંબાજી ખાતે આજે વિધિવત્ રીતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે.જિલ્લા કલેક્ટર મિહીર પટેલે રથને પ્રસ્થાન કરાવી શક્તિ, ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મેળાનો શુભારંભ કરાવ્યો હતો.મેળાનો પ્રારંભ થતાં જ જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઊઠી હતી.જિલ્લા કલેક્ટર મિહીર પટેલે વિવિધ સેવા કેમ્પનો પણ પ્રારંભ કરાવ્યો હતો. ભક્તોને આવકારતા જિલ્લા કલેક્ટરે આ મુજબ જણાવ્યું હતું.