ફેબ્રુવારી 22, 2025 2:42 પી એમ(PM)

printer

મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
મોરેશિયસના પ્રધાનમંત્રી નવીન રામગુલામે સંસદને સંબોધન કરતી વખતે આ જાહેરાત કરી. શ્રી રામગુલામે કહ્યું કે, મોરેશિયસ માટે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સ્વાગત કરવું એ એક સૌભાગ્યની વાત છે, તેમણે ભારત અને મોરેશિયસ વચ્ચેના મજબૂત અને સ્થાયી સંબંધો પર ભાર મૂક્યો હતો.