મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામે આજે નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે સદૈવ અટલની મુલાકાત લીધી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. બાદમાં, મોરેશિયસના પ્રધાનમંત્રી ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનને મળ્યા. તેઓ આજે બપોરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે અને નવા સંસદ ભવનનું નિરીક્ષણ કરશે.
ડૉ. રામગુલામ તિરુપતિ, મુંબઈ, વારાણસી, અયોધ્યા અને દેહરાદૂનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ આજે ભારતની તેમની આઠ દિવસની રાજ્ય મુલાકાત પૂર્ણ કરી રહ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 2:11 પી એમ(PM)
મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામે આજે નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.