મોરબીનાં વાંકાનેર ખાતે માનવી અને અશ્વ વચ્ચેના અતૂટ વિશ્વાસના સંબંધની પ્રતિકૃતિ સમાન ત્રિદિવસીય કાઠિયાવાડી મારવાડી અશ્વ પ્રદર્શન – રમતોત્સવ ‘કામા અશ્વ શો’ યોજાયો છે..
પશુપાલન વિભાગ, પ્રવાસન વિભાગ તથા કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વાંકાનેરના રાજવી સ્વર્ગિય શ્રી ડૉક્ટર દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત રહી સમગ્ર આયોજનની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
Site Admin | ડિસેમ્બર 27, 2025 3:00 પી એમ(PM)
મોરબીનાં વાંકાનેર ખાતે આયોજિત ‘કામા અશ્વ શો’ ના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત રહ્યા.