મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત યોગ શિબિરનો 5 લાખથી વધુ લોકોએ લાભ લીધો છે. બોર્ડના અધ્યક્ષ યોગ સેવક શ્રી શીશપાલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી મોદીના જન્મદિન નિમિતે આવતીકાલ થી 30 ડિસેમ્બર સુધી મેદસ્વિતા મુક્તિ અભિયાન યોજાશે.
આ શિબિરમાં રાજ્યના નાગરિકો વધુમાં વધુ જોડાઈને પોતાના તનના ભારની સાથોસાથ પોતાના મનનો ભાર ઘટાડી સ્વસ્થ, સુખી અને આનંદમય જીવન જીવી શકે છે તે માટે રાજ્યના નાગરિકોને યોગ બોર્ડ દ્વારા અનુરોધ કરાયો છે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 3:09 પી એમ(PM)
મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત યોગ શિબિરનો 5 લાખથી વધુ લોકોએ લાભ લીધો
