માર્ચ 4, 2025 7:15 પી એમ(PM) | મેદસ્વિતા

printer

મેદસ્વિતા નિયંત્રણ માટે રાજ્યમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન શરૂ કરાશે

નાગરિકોની મેદસ્વિતા નિયંત્રણ માટે રાજ્ય સરકાર “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન શરૂ કરશે. વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આ જાહેરાત કરી હતી. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરાશે. શ્રી પટેલે તમામ જન પ્રતિનિધિઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે.
સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારા આ અભિયાન અંગે રાજ્યનાં રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ વધુ માહિતી આપી
ઉલ્લેખનીય છે કે આજે 4 માર્ચ વિશ્વ મેદસ્વિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHOના જણાવ્યા અનુસાર મેદસ્વિપણાને અસામાન્ય કે વધુ પડતી ચરબીના સંચય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડાઓ અનુસાર રાજ્યમાં મેદસ્વિતાનું પ્રમાણ સ્ત્રીઓમાં 22.6 ટકા અને પુરુષોમાં 19.9 ટકાનું જોવા મળ્યું છે.