ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 30, 2024 3:35 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોજીત્રા ખાતેથી ચરોતર વિસ્તાર માટે 120 કરોડથી વધુ રૂપિયાના 53 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદ જિલ્લાના સોજીત્રા ખાતેથી ચરોતર વિસ્તાર માટે 120 કરોડથી વધુ રૂપિયાના 53 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યુવા પેઢીને ઘરઆંગણે જ ઉચ્ચ શિક્ષણ માટે 14 કરોડ કરતાં વધુના ખર્ચે નવનિર્મિત શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજનું લોકાર્પણ કર્યું હતું. તેમજ વિવિધ વિભાગોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ચારુતર એજ્યુકેશન ટ્રસ્ટ ખાતેના મલ્ટી યુટિલિટી સેન્ટરનું પણ ઉદ્દઘાટન કર્યું હતું.. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબધ્ધ છે.