મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌથી પહેલા તેઓ ઝવેરચંદ મેઘાણી સભાગૃહ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે 156 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ જવાહર મેદાનમાં નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય શિબિરની મુલાકાત લેશે.. છેવટે શ્રી પટેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વ-વિદ્યાલયના પરિસરમાં આવેલા અટલ સભાગૃહમાં ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલા અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
Site Admin | જાન્યુઆરી 16, 2026 3:15 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.