ડિસેમ્બર 12, 2025 7:11 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી 370 કરોડ રૂપિયાની રકમની શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ગાંધીનગર ખાતેથી 370 કરોડ રૂપિયાની રકમની શિષ્યવૃત્તિ વિતરણ કરાયું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યા 13 હજારથી વધીને 23 હજાર સુધી થઈ છે.