મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રનિર્માણમાં પારસી સમુદાયના લોકોના યોગદાનને બિરદાવતા કહ્યું, સખાવતનું બીજું નામ પારસી છે. અમદાવાદમાં પારસી ધર્મગુરુઓના ભવ્ય સન્માન સમારોહને સંબોધતાં શ્રી પટેલે પારસી સમુદાયની સેવા અને સમર્પણની ભાવનાની પણ પ્રશંસા કરી.
મુખ્યમંત્રીએ પારસી સમુદાયમાંથી આવતાં મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા સહિતના લોકોને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા બદલ યાદ કર્યા. તેમણે કહ્યું, પારસી સમુદાયના પૂર્વજોએ ભારતમાં આવીને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સ્વધર્મનો સંદેશ આત્મસાત્ કર્યો છે અને તેઓ ગુજરાતના સામાજિક જીવનમા દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે.
Site Admin | ડિસેમ્બર 2, 2025 2:52 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રનિર્માણમાં પારસી સમુદાયના લોકોના યોગદાનને બિરદાવતા કહ્યું, સખાવતનું બીજું નામ પારસી છે.