નવેમ્બર 14, 2025 8:05 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સ્વદેશી સંશોધન અને ટૅક્નોલૉજી અપનાવી આત્મનિર્ભર બનવા અનુરોધ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ટૅક્નોલૉજીના સમન્વયથી ખેતી વધુ ઉત્પાદનકારી બને અને ખેડૂતોની આવક વધે તેવા અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. રાજકોટમાં ગોંડલ તાલુકાના પાટીદડ ગામમાં એક સંસ્થાના સંશોધન ભવનનું લોકાર્પણ કરતાં શ્રી પટેલે આ વાત કહી. તેમણે કહ્યું, સરકારે ગુજરાતને દેશનું બાયોટૅક કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ સાથે બાયોટૅક્નોલૉજી નીતિ જાહેર કરી છે.
બાયોટૅકથી ખેડૂતોની આવક બમણી થશે, જમીનની ગુણવત્તા સુધરશે અને પર્યાવરણ વધુ સલામત રહેશે, તેમ જણાવતા શ્રી પટેલે ખેડૂતોને સ્વદેશી સંશોધન અને ટૅક્નોલૉજી અપનાવવા પર પણ ભાર આપ્યો

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.