મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત આજે રાજ્યવ્યાપી યુનિટી માર્ચનું જૂનાગઢથી પ્રસ્થાન કરાવ્યું. જૂનાગઢ મુક્તિ દિવસના અવસરે બહાઉદ્દીન કોલેજથી શરૂ થયેલી સરદાર@150 પદયાત્રાનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, આ યુનિટી માર્ચ ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ની વિભાવનાને ચરિતાર્થ કરી એકતાનો પાયો વધુ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું, સરદાર પટેલે 562 દેશી રજવાડાઓનું વિલિનીકરણ કરીને એક અને અખંડ ભારત બનાવ્યું હતું.
આ પ્રસંગે શ્રી પટેલે આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડીને સન્માન કર્યુ.
Site Admin | નવેમ્બર 9, 2025 7:12 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી યુનિટી માર્ચનું જૂનાગઢથી પ્રસ્થાન કરાવ્યું