મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આજે ઉચ્ચ સ્તરની બેઠકમાં રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં ખેડૂતોની સ્થિતિની સમીક્ષા કરી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત અને કૃષિમંત્રી જિતુ વાઘાણીએ ભાવનગરની મુલાકાત દરમિયાન ખેડૂતોના પાકના નુકસાનની માહિતી આપી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ પણ ગઈકાલે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાત લઈ અસરગ્રસ્ત ગામના ખેડૂતોની સ્થિતિ જાણી હતી.
બેઠકમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા, મુખ્યસચિવ એમ. કે. દાસ, મહેસૂલ વિભાગનાં અધિક મુખ્યસચિવ જયંતિ રવિ, કૃષિ વિભાગનાં અધિક મુખ્યસચિવ ડૉક્ટર અંજુ શર્મા સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયાં હતાં.
Site Admin | નવેમ્બર 4, 2025 7:57 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરની બેઠકમાં માવઠાથી અસરગ્રસ્ત જિલ્લામાં ખેડૂતોની સ્થિતિની સમીક્ષા કરી