કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના મુંબઈમાં આગામી 31 તારીખ સુધી યોજાનારા ભારત સમુદ્રી સપ્તાહ 2025-નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’નો માર્ગ અપનાવીને રાજ્યના બંદરોને સમૃદ્ધિના દ્વાર બનાવ્યા છે. તેમણે કહ્યું, સમુદ્રી વિકાસની ગત બે દાયકાની યાત્રાથી ગુજરાત વિશ્વ માટે દરિયાઈ પ્રવેશદ્વાર બન્યું છે. રાજ્યમાં ચીપ અને જહાજ બનાવવા વિકસિત થયેલી પ્રણાલિ આત્મનિર્ભરના સંકલ્પને બળ આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.
Site Admin | ઓક્ટોબર 27, 2025 7:18 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’નો માર્ગ અપનાવીને રાજ્યના બંદરોને સમૃદ્ધિના દ્વાર બનાવ્યા.