મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2081-ના નૂતન વર્ષના પ્રારંભ દિવસે આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે. શ્રી પટેલ આવતીકાલે સવારે સાત વાગ્યે ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. સાડા સાત વાગ્યે તેઓ અડાલજના ત્રિમંદિરમાં દર્શન અને પૂજન માટે જશે.
ત્યારબાદ મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા સામૂદાયિક કેન્દ્ર ખાતે સવાર આઠ વાગ્યે નાગરિકો અને પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે. શ્રી પટેલ સવારે આઠ વાગ્યેને 50 મિનિટે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે.
સવારે સાડા 10 વાગ્યે તેઓ અમદાવાદમાં ઍનેક્સી સ્ટેટ ગૅસ્ટ હાઉસ શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે. તે પહેલાં મુખ્યમંત્રીશ્રી સવારે 10 વાગ્યે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જશે.
નૂતન વર્ષ દિવસે બપોરે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઑફિસર્સ મૅસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 2:04 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2081-ના નૂતન વર્ષના પ્રારંભ દિવસે આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે.