ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 23, 2025 9:28 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો આરંભ કારવ્યો

ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો આરંભ કારવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે, નવરાત્રિના પ્રથમ દિવસથી જ નવી પેઢીના વસ્તુ કર દરના અમલની આપેલી ભેટ આ વર્ષની નવરાત્રિ અને દિવાળીને દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત ઉત્સવ ડબલ બચત બોનાન્ઝા બનશે. “આહવાન માં આદ્યશક્તિ” થીમ પર એક હજારથી વધુ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરાઈ હતી. તેમણે નવરાત્રિના આ તહેવારોમાં દાંડિયાથી લઈને આભૂષણો, પ્રસાધન સહિતની જે વસ્તુઓ સ્વદેશી બનાવટની હોય તેનો જ ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારત માટેના પ્રધાનમંત્રી આપેલા આહવાનને ઝીલી લેવા અનુરોધ કર્યો હતો. કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત 11 વર્ષ સુશાસનના થીમ પરના મલ્ટીમીડિયા એક્ઝિબિશનને પણ ખુલ્લું મૂક્યું હતુ. આ વાઇબ્રન્ટ મહોત્સવ પહેલી ઓક્ટોબર સુધી યોજાશે.