મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, જે નારીશક્તિ પારણું ઝુલાવી શકે તે યુદ્ધ મેદાનમાં તલવાર પણ ચલાવી શકે છે. દેવી અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જયંતીની ઉજવણી નિમિત્તે અમદાવાદના વસ્ત્રાલ ખાતે યોજાયેલા મલ્ટિમીડિયા શો દરમિયાન શ્રી પટેલે આ મુજબ જણાવ્યું.તેમણે ઉમેર્યું કે દેવી અહિલ્યાબાઈ હોલકર બહાદુર શાસક, લડાયક યોદ્ધા અને ધર્મ સંસ્કૃતિ રક્ષક હતાં. જેમણે કાશી વિશ્વનાથ મંદિર, સોમનાથ મંદિર, મહાકાલેશ્વર મંદિર જેવાં ધાર્મિકસ્થાનોના નવીનીકરણ અને પુનઃનિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિ રહ્યા હતા
Site Admin | જૂન 1, 2025 9:43 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું – જે નારીશક્તિ પારણું ઝુલાવી શકે તે યુદ્ધ મેદાનમાં તલવાર ચલાવવા પણ સમર્થ
