ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 11, 2025 3:22 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે જુનાગઢમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે જુનાગઢમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે શ્રી પટેલે પોતાના સંબોધનમાં લોકોને ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત પાણી બચાવવા અને પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી હતી. તેમણે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા નવ સંકલ્પને જીવનમાં અપનાવવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ જુનાગઢમાં મંજૂર થયેલી હૉસ્પિટલને ઝડપથી બનાવવા પણ જણાવ્યું હતું.

દરમિયાન શ્રી પટેલે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકતા કહ્યું, જમીનની સાથે આપણું સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ