ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 8, 2024 5:02 પી એમ(PM) | ભૂપેન્દ્ર પટેલે

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના પોતાના નિવાસસ્થાનેથી ત્રિરંગો લહેરાવી “હર ઘર તિરંગા અભિયાન”નો પ્રારંભ કરાવ્યો છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના પોતાના નિવાસસ્થાનેથી ત્રિરંગો લહેરાવી “હર ઘર તિરંગા અભિયાન”નો પ્રારંભ કરાવ્યો છે.. રાજ્યમાં આજથી 15 ઓગસ્ટ સુધી આ અભિયાનની ઉજવણી કરાશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તિરંગા યાત્રા યોજાશે.. રાજ્યમાં આ અભિયાન અંતર્ગત 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરાશે.
આ વર્ષે “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત રાજ્યભરમાં તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કૉન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમ જ તિરંગા મેળા જેવા બહુવિધ કાર્યક્રમ યોજાશે.