ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 7, 2025 2:57 પી એમ(PM) | મુખ્યમંત્રી

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાટીદાર આંદોલનના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાટીદાર આંદોલનના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચ્યા છે. ગાંધીનગરના દુર્ગેશ મહેતા જણાવે છે કે, પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા અને ચિરાગ પટેલ સામે ગંભીર કેસ નોંધાયા હતા. આ તમામ પોલીસ કેસ હવે પરત લેવાયા છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલન બાબતે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી, અને સુરતમાં અલગ અલગ 14 પોલીસ કેસ નોંધાયા હતા.