ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે યાત્રાધામ અંબાજી ખાતે 13 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ યાત્રાધામ અંબાજી ખાતે 13 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે.
આ સંસ્કૃત મહાવિદ્યાલય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી અદ્યતન સુવિધા સાથે વિદ્યાલય અને છાત્રાલય પણ બનાવવામાં આવ્યું છે.આમાં 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે આવાસનો સમાવેશ કરાયો છે.આ નવીન મહાવિદ્યાલયમાં હોલ, 10 વર્ગ ખંડો, છાત્રાલય માટે 49 રૂમ અને લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કોમ્પ્યુટર લેબ સહિત યજ્ઞ શાળા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.