ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે વધુ 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમ હોલમાં આજે વધુ 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રદીપભાઈ ધામેચા પરિવાર સહયોગથી આ બોરવેલને રિચાર્જ કરવામાં આવ્યા છે. અગાઉ ગાંધીનગર, રાજકોટ અને જામનગરમાં બોરવેલ રીચાર્જ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય કેયુર રોકડીયા સહિત સમાજના આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ પરિવાર દ્વારા યોજાયેલા રિચાર્જ બોરવેલના આ કાર્યક્રમમાં ગુજરાતમાં 75 રિચાર્જ બોરવેલ પૈકી 31 રિચાર્જ બોરવેલ સફળ લોકાપર્ણ થયા છે.