ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 13, 2025 9:48 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ રાજ્યના 41 લાખ વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તો મળ્યો

ગયા વર્ષે શરૂ કરાયેલી એક યોજના હેઠળ રાજ્યની 32 હજારથી વધુ સરકારી શાળાઓમાં પૂર્વ-પ્રાથમિકથી ધોરણ 8 સુધીના અંદાજે 41 લાખ વિદ્યાર્થીઓને દરરોજ પૌષ્ટિક નાસ્તો મળે છે, જેથી બાળકોને શિક્ષણની સાથે પોષણનો પૂરતો હિસ્સો મળે.સુપોષિત ગુજરાત મિશન’ ના ભાગરૂપે ગયા વર્ષે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી, આ અલ્પાહાર યોજના એક અલગ સરકારી યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજન ઉપરાંત છે.