મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના સમાપન પ્રસંગે બે હજાર 288 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે.દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે, ગઇકાલે પંચમહાલના ગોધરા ખાતે આદિજાતિ મંત્રી ડૉ.કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.બીજી તરફ પોરબંદરના ઓળદર ગામે 96 લાખથી વધુના 38 કામોનું ખાતમુહૂર્ત અને 35 લાખથી વધુના 18 કામોનું લોકાર્પણ કરાયુ હતું.
Site Admin | ઓક્ટોબર 15, 2025 9:40 એ એમ (AM)
મુખ્યમંત્રી આજે વિકાસ સપ્તાહની ઉજવણીના સમાપન પ્રસંગે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે