મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની ભજન મંડળીઓને વિવિધ સંગીત સાધનોનું વિતરણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માતાની સ્મૃતિમાં કાર્યરત કુસુમબા ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું.
તેમણે કહ્યું કે શરીરની જેમ મન અને હૃદયને સ્વસ્થ રાખવા માટે ભજન પૂરકબળ બની રહે છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, આવતીકાલની પેઢીને પણ પાણી મળી રહે, તે માટે કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત ખાનગી સોસાયટીઓને જળસિંચન અને જળસંચય માટે પ્રેરિત કરવા આ વર્ષના બજેટમાં ૮૦-૨૦ના ધોરણે જોગવાઈ સૂચિત કરી છે. આ ઉપરાંત તેમણે સ્વચ્છતા અભિયાન ઉપર પણ ભાર મૂક્યો હતો.
Site Admin | માર્ચ 16, 2025 9:35 એ એમ (AM)
મુખ્યમંત્રીએ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની ભજન મંડળીઓને વિવિધ સંગીત સાધનોનું વિતરણ કર્યું
