ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 16, 2025 9:35 એ એમ (AM)

printer

મુખ્યમંત્રીએ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની ભજન મંડળીઓને વિવિધ સંગીત સાધનોનું વિતરણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની ભજન મંડળીઓને વિવિધ સંગીત સાધનોનું વિતરણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માતાની સ્મૃતિમાં કાર્યરત કુસુમબા ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું.
તેમણે કહ્યું કે શરીરની જેમ મન અને હૃદયને સ્વસ્થ રાખવા માટે ભજન પૂરકબળ બની રહે છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, આવતીકાલની પેઢીને પણ પાણી મળી રહે, તે માટે કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત ખાનગી સોસાયટીઓને જળસિંચન અને જળસંચય માટે પ્રેરિત કરવા આ વર્ષના બજેટમાં ૮૦-૨૦ના ધોરણે જોગવાઈ સૂચિત કરી છે. આ ઉપરાંત તેમણે સ્વચ્છતા અભિયાન ઉપર પણ ભાર મૂક્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ