ઓગસ્ટ 30, 2025 7:13 પી એમ(PM)

printer

મુખ્યમંત્રીએ કહ્યું, વન બહારના વિસ્તારમાં વન આવરણ વધારવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વન બહારના વિસ્તારમાં 1143 ચોરસ કિલોમીટરના વન આવરણ વધારવા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે ’76મા વન મહોત્સવ’ની ઉજવણી દરમિયાન શ્રી પટેલે આ મુજબ જણાવ્યુ હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્યના 24મા સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યુ કે, આબોહવા પરિવર્તનનો અલાયદો વિભાગ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય જળપ્લાવિત સત્તામંડળની વેબસાઇટનો પણ શુભારંભ કરાયો. આ ઉપરાંત ગ્રામ વન નિર્માણ અને પટ્ટી વાવેતરની ઉપજના ચેકનું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોને વિતરણ તથા વન વિભાગની યોજનાઓના ચેક લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.