મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા ગુફાઓ તરફ મુસાફરોને લઈ જતી એક ફેરી બોટ ગઈકાલે સાંજે કરંજા નજીક પલટી મારતા તેર લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈમાં બોટ દુર્ઘટનામાં 13 પીડિતોમાંથી 10 નાગરિકો અને અન્ય ત્રણ નૌકાદળના કર્મચારીઓ છે. અન્ય બે ગંભીર રીતે ઘાયલ છે તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. શ્રી ફડણવીસે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની રાહત પણ જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ઘાયલ લોકોના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી અને કહ્યું કે અસરગ્રસ્તોને અધિકારીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 8:32 એ એમ (AM) | મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ બોટ દુર્ઘટનામાં તેર લોકોના મોત –મૃતકોના પરિવારોને સાત લાખ રૂપિયાની સરકારની સહાયની જાહેરાત કરી
