જુલાઇ 25, 2025 7:16 પી એમ(PM)

printer

‘મિષ્ટી’ યોજના હેઠળ ચેરના વાવેતરમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

‘મિષ્ટી’ યોજના હેઠળ 19 હજાર 520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. સરકારની Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes’ એટ્લે કે મિષ્ટી’ યોજના હેઠળ રાજયમાં એક હજાર 175 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચેરના વૃક્ષોનું વાવેતર કરાયું છે. જેમાં માત્ર કચ્છ જિલ્લામાં જ 6 હજાર હેક્ટરમાં ચેરના વૃક્ષો છે. જ્યારે મેન્ગ્રુવ આવરણની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. તેમાં પણ કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેન્ગ્રુવ આવરણ સાથે રાજ્યમાં અગ્રેસર છે.
મેન્ગ્રોવ્સ એ દરિયાકાંઠાના જંગલો છે, જેમાં ખારા પાણીમાં ઉગે તેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ વૃક્ષો પોષકતત્વો અને કાંપને ફિલ્ટર કરીને પાણીની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.