પોરબંદરમાં આવતીકાલે માધવપુર ઘેડ મેળાનો પ્રારંભ થશે. તેની ઉજવણીના ભાગરૂપે આજે સોમનાથ મંદિર પરિસરના ચોપાટી મેદાન ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. અગાઉ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજી તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સોમનાથમાં સાંજે સાત વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં આસામ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા જેવા ઉત્તર-પૂર્વના સાત રાજ્યના 200 કલાકારો અને રાજ્યના વિવિધ વિસ્તારના 200 કલાકારો મળી 400 કલાકારો તેમની કળાનું પ્રદર્શન કરશે. દરમિયાન પોરબંદરના મણિયારા રાસ, તલવાર રાસ, ડાંગી નૃત્ય સહિતની પ્રસ્તુતિઓ પણ રજૂ કરાશે.
Site Admin | એપ્રિલ 5, 2025 9:50 એ એમ (AM)
માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે આજે સોમનાથમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
