યુવા અને રમતગમત બાબતોના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, માધવપુર ઘેડ મેળાના ઉત્સવને આગામી સમયમાં દરેક જિલ્લામાં લઈ જવા સરકાર પ્રયાસ કરી રહી છે. અમદાવાદમાં ગઈકાલે માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંબોધતા શ્રી સંઘવીએ ઉત્તર-પૂર્વ રાજ્યોમાંથી આવેલા કલાકારોનું સ્વાગત પણ કર્યું હતું.દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર-પૂર્વ રાજ્યોના કલાકારો દ્વારા સંયુક્ત રીતે સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમને ખૂલ્લો મુક્યો હતો. કાર્યક્રમમાં 800થી વધુ કલાકારોએ નૃત્ય પ્રદર્શન રજૂ કર્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, આપણને અન્ય રાજ્યોની ભાષા ન સમજાય તો પણ વિવિધ રાજ્યના લોકનૃત્ય અને સાંસ્કૃતિક કૃતિઓનો આનંદ તો અનુભવી જ શકીએ છીએ.
Site Admin | એપ્રિલ 4, 2025 9:42 એ એમ (AM)
માધવપુર ઘેડ મેળાના ઉત્સવને આગામી સમયમાં દરેક જિલ્લામાં લઈ જવા રાજ્ય સરકારનો પ્રયાસ
