ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 2, 2024 3:30 પી એમ(PM)

printer

મહેસાણા જિલ્લા ક્ષય કેન્દ્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 12મી ડિસેમ્બરથી 21મી ડિસેમ્બર દરમિયાન રક્તપિત્તના દર્દીઓ શોધવામાં આવશે

મહેસાણા જિલ્લા ક્ષય કેન્દ્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 12મી ડિસેમ્બરથી 21મી ડિસેમ્બર દરમિયાન રક્તપિત્તના દર્દીઓ શોધવામાં આવશે. જિલ્લામાં રક્તપિત્તના કેસ જે ગામોમાંથી મળી આવ્યા હોય તેવા કુલ 35 ગામોમાં આ સર્વેની કામગીરી કરવામાં આવશે. જેમાં ગામના લોકોના આરોગ્યની ચકાસણી કરાશે. જેથી રક્તપિત્તના દર્દીની ઓળખ કરી સારવાર આપી શકાય. જિલ્લા કલેકટરે રક્તપિત્તના દર્દીઓ શોધવામાં ગુણવતા યુક્ત કામગીરી થાય તેવી સૂચના આપી છે.