મહેસાણા જિલ્લામાં નળ સે જળ યોજના અંતર્ગત લોકોને પીવાનું પાણી મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની નલ સે જળ યોજના ગ્રામીણ લોકોને પાણી મળી રહે તેવા હેતુ સાથે તેની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યના 16 જિલ્લાઓ પસંદ કરવા આવ્યા છે. જેમાં મહેસાણા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જિલ્લાના છેવાડાના ઘરમાં નિયમિત શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે આયોજન હેઠળ સારી કામગીરી થઈ રહી છે. જિલ્લાના 601 ગામડાઓમાંથી 475 ગામડાઓએ આ યોજનાઓનો લાભ લીધો છે. જ્યારે બીજા બાકી ગામોમાં પણ ઝડપથી પાણી મળે તે માટે આયોજન થઈ રહ્યું છે
Site Admin | માર્ચ 20, 2025 3:32 પી એમ(PM)
મહેસાણા જિલ્લામાં નળ સે જળ યોજના અંતર્ગત લોકોને પીવાનું પાણી મળી રહ્યું છે
