મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આ વર્ષે 10 અને 11 નવેમ્બર 2 દિવસ તાનારિરિ મહોત્સવ યોજાશે. મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, આ બે દિવસ રાત્રે વિવિધ કલાકારો દ્વારા સંગીતના કાર્યક્રમો રજૂ કરાશે. પહેલા દિવસે મૈથિલી ઠાકુર અને ઓસમાણ મીર શાસ્ત્રીય ગાયન અને લોકકળા રજૂ કરશે.
જ્યારે બીજા દિવસે શશાંક સુબ્રમણ્યમ વાંસળીવાદન રજૂ કરશે. આ વર્ષે તાનારિરિ પુરસ્કાર ડૉ. પ્રદીપ્તા ગાંગુલી અને સુરેશ તલવાલકરને એનાયત કરાશે. ઉપરાંત આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી, પ્રવાસન મંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
Site Admin | નવેમ્બર 5, 2024 3:10 પી એમ(PM)
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આ વર્ષે 10 અને 11 નવેમ્બર 2 દિવસ તાનારિરિ મહોત્સવ યોજાશે
