મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક જીરું અને વરિયાળીની 15 બોરીથી વધુની આવક નોંધાઈ રહી છે. જીરાના ભાવમાં મણના ભાવ 4 હજાર 700થી 4 હજાર 750 રૂપિયા રહ્યા હતા. જ્યારે વરિયાળીની દૈનિક ત્રણ હજાર બોરીથી વધુની આવક થઈ રહી છે. તેના મણના 4 હજાર 500થી 5 હજાર 500 રૂપિયાના ભાવ મળી રહ્યા છે.
ઉપરાંત રાજસ્થાની ઈસબગુલની 6 હજાર બોરીની આવક થતાં તેનો ભાવ 2 હજાર 450થી 2 હજાર 550 રૂપિયાનો રહ્યો હતો. તેમજ તલની પણ 800 બોરીની આવક થઈ હતી, જેનો ભાવ રૂપિયા 2 હજાર 650 રૂપિયાથી 2 હજાર 850 રૂપિયા સુધીના રહ્યા હતા. આ સાથે જ ડાંગરના પાકની દૈનિક નવ હજાર બોરીની આવક થતાં તેનો ભાવ 380થી લઈ 538 રૂપિયા સુધીના રહ્યા હતા.
Site Admin | નવેમ્બર 22, 2024 2:56 પી એમ(PM) | જીરું અને વરિયાળી
મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં દૈનિક જીરું અને વરિયાળીની 15 બોરીથી વધુની આવક નોંધાઈ
