ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 17, 2025 3:23 પી એમ(PM) | અકસ્માત

printer

મહીસાગર જિલ્લાના બાલાસિનોર-અમદાવાદ હાઇવે પર કાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા

મહીસાગર જિલ્લાના બાલાસિનોર-અમદાવાદ હાઇવે પર કાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. વહેલી સવારે યુવકો કારમાં અમદાવાદથી બાલાસિનોર જતાં હતા તે દરમિયાન લાડવેલ ચોક્ડી પાસે અચાનક ગાય આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બાલાસિનોર તાલુકા ઓથવાડના બારીયાના મુવાડાના સંજય સોલંકી, વિનુ સોલંકી, લાલાભાઈ સોલંકી, અને પુજેસિંહ સોલંકીના મૃત્યુ થયા હતા.