ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 15, 2025 2:37 પી એમ(PM)

printer

મહાકુંભમાં જઈ રહેલા છત્તીસગઢના 10 શ્રદ્ધાળુનું વાહન પ્રયાગરાજ નજીક બસ સાથે અથડાતાં 10નાં મૃત્યુઃ 19ને ઇજા

આજે વહેલી સવારે પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગ લેવા જઈ રહેલા છત્તીસગઢના કોરબા વિસ્તારના 10 શ્રધ્ધાળુ મોતને ભેટ્યા હતા. ઉત્તરપ્રદેશમાં મિર્ઝાપુર-પ્રયાગરાજ ધોરીમાર્ગ પર મધ્યપ્રદેશના રાજગઢથી ભક્તોથી ભરેલી બસ સાથે તેમના વાહનની ટક્કરથી આ દુર્ઘટના સર્જાઈ હતી. ઝડપી ગતિથી જઈ રહેલી એસયુવી સામેથી આવી રહેલી બસ સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં 19 લોકોને ઇજા થઈ હતી. બસમાં શ્રધ્ધાળુ પ્રવાસ કરી રહ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતની નોંધ લઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહીવટીતંત્રનાં અધિકારીઓને ઘટના સ્થળે પહોંચીને ઝડપથી રાહત કાર્ય કરવા નિર્દેશ આપ્યો હતો.