જાન્યુઆરી 8, 2025 7:12 પી એમ(PM)

printer

મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો

મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મરાઠી ભાષાના મંત્રી ઉદય સામંતે નવી દિલ્હીમાં કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાથે મુલાકાત કરી હતી, જ્યાં શ્રી શેખાવતે તેમને મરાઠી ભાષાને સત્તાવારરીતે શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો આપતો સરકારી ઠરાવ સુપ્રત કર્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સામંતે આ માન્યતાતી વિશ્વભરમાંમરાઠી બોલતા લોકોનું સપનું સાકાર થયું છે.વધુમાં તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાંસ્થાપિત નિયમો પ્રમાણે શાસ્ત્રીય ભાષાને મળતા લાભ અંગે કેન્દ્ર સરકારને દરખાસ્તમોકલશે.