ડિસેમ્બર 28, 2025 7:57 પી એમ(PM)

printer

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ઓપરેશન સિંદૂર’ આ વર્ષે દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક બન્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા મંચ સુધી દરેક જગ્યાએ એક મજબૂત છાપ છોડી છે.
આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યુ, વર્ષ 2025 એ દરેક ભારતીયને ગર્વ કરાવવા માટે ઘણી ક્ષણો આપી છે. તેમણે કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ આ વર્ષે દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક બન્યું. તેમણે કહ્યું કે દુનિયાએ સ્પષ્ટપણે જોયું કે આજનું ભારત તેની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરતું નથી. પ્રધાનમંત્રી મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારતે આ વર્ષે વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે પણ મોટી છલાંગ લગાવી છે.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે વિશ્વ આજે ભારત તરફ ખૂબ આશાથી જોઈ રહ્યું છે અને યુવા શક્તિ આનું સૌથી મોટું કારણ છે.
શ્રી મોદીએ વંદે માતરમની 150મી વર્ષગાંઠ માટે સમાન ભાવના અને ઉત્સાહ દર્શાવવા બદલ લોકોની પ્રશંસા કરી. શ્રી મોદીએ 20 ફેબ્રુઆરી સુધી યોજાનારા કચ્છના રણોત્સવ વિશે વાત કરી. સ્વદેશી પ્રત્યે લોકોના ઉત્સાહને લઈ પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.