ઓગસ્ટ 28, 2025 7:12 પી એમ(PM)

printer

મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે

ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો પહેલી સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે.
આ અંગે વધુ માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ, ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઇ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ નોંધણી શરૂ કરાઇ છે.
ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધી પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.