ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ માંથી પુનરાગમન કરશે.
તેઓ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીમાં રેલવે સામે રમશે. મેચ આજે સવારે 9:30 કલાકે શરૂ થશે. વિરાટ કોહલી આયુષ બદોનીની કેપ્ટનશીપ હેઠળ રમશે.
ઉપલબ્ધતા હોય તો ઘરેલુ ક્રિકેટ રમવાના BCCIના આદેશ પછી કોહલી સ્થાનિક ક્રિકેટમાં રમશે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) એ જાહેરાત કરી છે કે હંમેશની જેમ આ રણજી મેચોમાં પણ દર્શકો માટે પ્રવેશ મફત રહેશે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 9:55 એ એમ (AM)
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ માંથી પુનરાગમન કરશે
