ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 15, 2025 1:57 પી એમ(PM)

printer

ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે અબ્દુલ કલામની જન્મજયંતી પર ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ યાદ કરીને શ્રધ્ધાંજલી પાઠવી

આજે ભારતના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ કલામની જન્મજયંતી છે. ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. એ પી જે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં, ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને ડૉ. કલામને એક સ્વપ્નદ્રષ્ટા વૈજ્ઞાનિક, પ્રેરણાદાયી નેતા અને સાચા દેશભક્ત ગણાવ્યા. તેમણે ઉમેર્યું કે તેમની નમ્રતા, કરુણા અને વિદ્યાર્થીઓ સાથે સતત વાતચીત કરવાની તેમની શૈલીએ તેમને પેઢી દર પેઢી પ્રિય વ્યક્તિ બનાવ્યા. સંરક્ષણ, વિજ્ઞાન અને યુવા સશક્તિકરણમાં તેમના અથાક પ્રયાસોએ ભારતને આત્મનિર્ભરતા તરફના માર્ગને મજબૂત બનાવ્યો. શ્રી રાધાકૃષ્ણને ભાર મૂક્યો કે ડૉ. કલામનું વિઝન દરેક ભારતીયને નવીનતા, સેવા અને પ્રામાણિકતા સાથે નેતૃત્વ કરવા માટે પ્રેરણા આપે છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ડૉ. કલામ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે યુવા દિમાગને પ્રજ્વલિત કર્યા અને રાષ્ટ્રને મોટા સ્વપ્નો જોવા માટે પ્રેરણા આપી. શ્રી મોદીએ ઉમેર્યું કે તેમનું જીવન લોકોને યાદ અપાવે છે કે નમ્રતા અને સખત મહેનત સફળતા માટે મહત્વપૂર્ણ છે.
સાથે જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ડો.એ પી જે અબ્દુલ કલામને તેમની જન્મજયંતી પર નમન કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.